જેમને અત્યંત પ્રેમપૂર્વક ગોપાલદા કહીને બોલાવતા એવા સ્વામી અદ્વૈતાનંદજી શ્રીરામકૃષ્ણ કરતાં પણ મોટા હતા. આમ હોવા છતાં પણ એમણે પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણ પ્રત્યે જે પૂભાવ અને ભક્તિ ભાવના દાખવ્યાં તે એમનું ખરેખર અદ્ભુત વલણ હતું. એ એમનું પરમ સદ્ભાગ્ય હતું કે શ્રીરામકૃષ્ણ સંઘના પ્રાદુર્ભાવમાં તેઓ એક સાધન કે નિમિત્ત બન્યા; એમણે શ્રીરામકૃષ્ણને કેટલાંક ભગવાં વસ્ત્રો આપ્યાં અને શ્રીઠાકુરના કાશીપુરના અંતિમ દિવસો દરમિયાન શ્રીઠાકુરે પોતે એ વસ્ત્રો પોતાના અંતરંગ શિષ્યો નરેન્દ્ર, રાખાલ અને ગોપાલદા સુઘ્ધાંને અર્પણ કર્યાં. પોતાના ગુરુદેવ શ્રીઠાકુરની મહાસમાધિ પછી બારાનગર મઠમાં જોડાનાર પ્રથમ સંન્યાસીઓમાં સ્વામી શિવાનંદજી સાથે ગોપાલદા (સ્વામી અદ્વૈતાનંદ) પણ હતા. થોડાં વર્ષો તેમણે મઠમાં ગાળ્યાં પછી તેમને પાંચ વર્ષ સુધી વારાણસી મોકલવામાં આવ્યા. ત્યાર પછી તેઓ આલામબજારમાં નવા સ્થપાયેલા મઠમાં અને પછીથી બેલુર મઠમાં આવ્યા. કોઈ પણ કાર્ય કરવામાં ચોકસાઈ, નિર્મળતા, સુઘડતા અને પદ્ધતિ-પરાયણતાવાળી એમની કાર્યશૈલીની શ્રીઠાકુર પણ પ્રશંસા કરતા. પોતાની મોટી ઉંમરે પણ તેઓ બેલુર મઠના દૈનંદિન કાર્યમાં સદૈવ સહાય કરતા. ૨૮ ડિસેમ્બર, ૧૯૦૯ના રોજ તેઓ નિર્વાણ પામ્યા.
You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda
A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda
Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda
All power is within you, you can do anything & everything !- Swami Vivekananda
To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda
Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda
Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda
We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda