સ્વામીજી બેંગલોરથી ત્રિસ્સૂર ગયા અને ત્યાં થોડા દિવસ રોકાયા પછી એ ક્રાંગાનોર (કોડંગલ્લુર નામે પણ એ ઓળખાય છે ત્યાં) ગયા. એ સ્થાન વિદ્યાની પીઠ તરીકે અને કાલીમંદિર માટે પ્રસિદ્ધ છે. ત્યાં ચોકીદારોએ એમને મંદિરમાં દાખલ થતાં અટકાવ્યા. ક્રાંગાનોરના રાજમહેલના બે રાજકુંવરો ત્યાંથી પસાર થતા હતા. બંને શાસ્ત્રોમાં પારંગત હતા. એ બંને સ્વામીજી પાસે ગયા. સ્વામીજીને જોતાંવેંત એ પારખી ગયા કે આ કોઈ સામાન્ય માણસ નથી. એ બંને પાસે આવ્યા ત્યારે ‘મને મંદિરમાં શા માટે પ્રવેશવા દેવામાં આવતો નથી ?’ એમ સ્વામીજીએ તેમને પૂછ્યું. એમણે કહ્યું કે લોકોની અને તેમાંયે કેરળની બહારથી આવતા લોકોની જ્ઞાતિ જાણવાનું ઘણું કઠિન છે. એટલે આ નિયમ છે. આ દલીલ સંસ્કૃતમાં ચાલી. બે દિવસ આમ દલીલો કર્યા પછી એ બંને હારી ગયા. સ્વામીજીનું સાંનિઘ્ય શોધતા એ બંને ત્રીજે દહાડે ગયા તો સ્વામીજીને એમણે ઘ્યાનસ્થ જોયા. સ્વામીજીના મુખ પર પ્રદીપ્ત શાંત આભા જોઈ ઘ્યાની વિશેનાં શાસ્ત્રવચનો એમને યાદ આવ્યાં. સમાધિ ઊતર્યા પછી સ્વામીજી એ રાજકુમારો સાથે શુદ્ધ સંસ્કૃતમાં બોલવા લાગ્યા. ત્યાંથી જતી વખતે રાજકુમારો સ્વામીજીને પગે પડ્યા. પછી રાજકુટુંબોની કેટલીક વિદુષી નારીઓ સ્વામીજી મળવા આવી. એ બધી સ્વામીજીની સાથે વિશુદ્ધ સંસ્કૃતમાં વાતો કરવા લાગી. આવું અસ્ખલિત સંસ્કૃત બોલતાં તેમને સાંભળીને સ્વામીજી આશ્ચર્યચકિત થઈ ગયા. દેશના બીજા કોઈ ભાગમાં સ્વામીજીને આવું જોવા મળ્યું ન હતું, સ્વામીજી તેથી આનંદ પામ્યા. ચોથે દિવસે રાજકુમારો ફરી મંદિરે ગયા પણ વડ નીચે સ્વામીજીને ન જોતાં નિરાશ થઈ ગયા. ગામ છોડી સ્વામીજી કોચીન તરફ નીકળી ગયા હતા. કેટલાક મહિના પછી વર્તમાન પત્રોમાં સ્વામી વિવેકાનંદની તસવીર જોઈને અને શિકાગોની વિશ્વધર્મ પરિષદમાંની એમની ઝળહળતી ફતેહ વિશે વાંચીને એમને યાદ આવ્યું કે વડ નીચે બેઠેલા સંન્યાસી સાથે પોતે વાતો કરેલી તે જ આ સ્વામીજી છે.
એર્નાકુલમમાં ૧૮૯૨ના ડિસેમ્બરમાં કોઈ સમયે પ્રખ્યાત નારાયણગુરુના ગુરુ શ્રી ચટ્ટામ્બિ સ્વામીને સ્વામીજી મળ્યા. ચટ્ટામ્બિ સ્વામીના શિષ્ય નારાયણ ગુરુના નેતૃત્વ હેઠળ કેરળમાં જે શાંત સામાજિક ક્રાંતિ થઈ તેની પાછળ સ્વામીજીની પ્રેરણા હતી એમ ઘણાનું માનવું છે. શિક્ષણ અને બીજાં સાધનો દ્વારા પોતાની સ્થિતિ સુધારવાની પ્રેરણા ત્યાંના લોકોને સ્વામીજીએ આપી હતી એવો મત કેટલાક લોકોનો છે. અને પશ્ચિમમાંથી ૧૮૯૭માં પાછા આવ્યા પછી દક્ષિણ ભારતમાં અને બધા વર્ગોના લોકોને ઉન્નત થવાનું જે આહ્વાન સ્વામીજીએ આપ્યું હતું તેનું સ્મરણ કરતાં જણાશે કે આ અભિપ્રાયમાં તથ્ય છે.
કોચીન રાજ્યના મુખ્ય શહેર એર્નાકુલમથી સ્વામીજી દક્ષિણે ત્રિવેન્દ્રમ ગયા. ત્યારે ત્રિવેન્દ્રમ ત્રાવણકોર રાજ્યનું મુખ્ય શહેર હતું. ત્યાં એ ૧૮૯૨ના ડિસેમ્બરની ૧૩મીએ પહોંચ્યા હતા. ત્યાં એ પ્રોફેસર સુંદરરામ ઐયરના અતિથિ બન્યા હતા. પોતાનાં સંસ્મરણોમાં એ પ્રોફેસર લખે છે : ‘માનવ ચિત્ત ભૌતિક બંધનમાં હોય ત્યારે, એ ચિત્તના મૂક ગુહ્ય કાર્યને સમજીને, એની આઘ્યાત્મિક ઇચ્છાઓ પર વિજય મેળવીને, એક જ અસ્તિત્વનો સાક્ષાત્કાર કરીને, બાકીના સર્વ પદાર્થોને એના મર્યાદિત આવિષ્કાર રૂપ સમજવાનું કાર્ય માત્ર ધર્મ - અને ભારતીય ઋષિમુનિઓનો ધર્મ - જ કરી શકે છે.’
You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda
A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda
Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda
All power is within you, you can do anything & everything !- Swami Vivekananda
To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda
Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda
Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda
We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda